24 ફેબ્રુ, 2025

કિંત્સુગી

 

✍🏻📖  *GOOD MORNING*

*ECHO-एक गूँज*

જાપાનમાં એક પ્રણાલી અને પરંપરા છે. જાપાનીઝ લેંગ્વેજમાં એને કિંત્સુગી કહેવામાં આવે છે. કાચનું કોઇ વાસણ તૂટી જાય ત્યારે જાપાનીઝ લોકો દુ:ખી થતા નથી. તેઓ કહે છે કે, કાચના વાસણનું તો નિર્માણ તૂટવા માટે થયું હોય છે. એનો અફસોસ શું કરવાનો? જાપાનમાં કાચનું કોઇ વાસણ કે વાઝ તૂટે ત્યારે લોકો કાચના ટુકડા ભેગા કરીને કલાકાર પાસે લઇ જાય છે. કલાકારો ટુકડાને એટલી કલાત્મક રીતે જોઇન કરી આપે છે કે વાસણ હોય એના કરતાં પણ અનેકગણું વધુ સુંદર દેખાવા લાગે છે. એવા કલર અને ગમ લગાવે કે જોઇને લોકોનું મન મોહી જાય. મોટા ભાગના જાપાનીઝ લોકોના ઘરમાં તમને થોડાક આવા રિનોવેટ કરેલા વાસણ જોવા મળશે . આર્ટ એટલી બધી પોપ્યુલર થઇ છે કે હવે તો તૂટીને સાંધેલાં હોય એવાં વાસણો બનવા લાગ્યાં છે. વેલ, વાસણનું તૂટવું અને ફરીથી તેનું નવનિર્માણ કરવા પાછળ એક સરસ મજાનો મેસેજ પણ છે. સંબંધો પણ ક્યારેક તૂટે છે. એને આપણે ફરીથી કેમ શણગારી શકીએ?


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

GM

  ✍🏻📖   *GOOD MORNING* *ECHO- एक गूँज * જિંદગીને મેનેજ કરવી પડે છે , જિંદગીને કાબૂમાં રાખવી પડે છે. જિંદગીને જો છૂટો દોર આપીએ તો જિંદ...