17 ફેબ્રુ, 2025
બીલીમોરામાં સિનેમાનું પરિવર્તન
26 માર્ચ, 2023
ગુજરાતની વણાટ કલામાં માહિર વણકરો ....
ગુજરાતની વણાટ કલામાં માહિર વણકરો ....
શુંગ અને સાતવાહન કાળમાં , ગુજરાત ની વણાટકલા ચરમોત્કષ કક્ષાએ પહોંચી હતી . એવા વસ્ત્રો પણ બનતાં હતાં કે ફૂંક મારવાથી હવામાં ઉડતા હતા.
( રઘુવઁશ 16:43) રેશમના કીડાઓ ઉછેરવાની કલા ઈ.સ. પહેલી સદીમાં વણકરોએ શોધી હતી .
પછીથી રોમમાં તેનો પ્રચાર થયો હતો, પરંતુ સુંદર વસ્ત્રોનું રહસ્ય તો ભરત અને ગુજરાતના વણકરો જ જાણતા હોવાથી આ કલાને રોમ માં પ્રસિદ્ધિ મળી નહી , રોમની સ્ત્રીઓ ગુજરાતના વસ્ત્રો પહેરવા એ પ્રતિષ્ઠા સમજતી હતી.
જોકે સમગ્ર યુરોપ અને મધ્ય એશિયા માં ગુજરાત અને ભારતની વણાટ કલાની
પ્રતિષ્ઠા હતી. હિન્દૂ દેવતાની
મૂર્તિઓ માટે વસ્ત્રો મંદિરોના પુંજારીઓના વસ્ત્રો , રાજાઓ અને રાંજ પરિવારના વસ્ત્રો , સૈનિકોના વસ્ત્રો, ધનવાનોને વસ્ત્રો બનાવવા માટે વિશિષ્ટ કૌશલ્ય અને વસ્ત્રો નિર્માણ અંગેના દર્શન શસ્ત્ર નું જ્ઞાન વણકરો પાસે રહેતું હતું . વર્તમાન સમયમાં
પણ પાટણ ( ગુજરાત) ના પટોળા અને તેના ઉપર ની ભાટ જગવિખ્યાત છે. આર્યવર્ત ની સમૃદ્ધિનો
સૂર્યદય વણાટકલા ( સુતરાઉ વસ્ત્રો ) થકી થયો હતો.
આ સુતરાઉ કાપડનો વ્યાપાર પ્રભાસ
પાટણથી દેશ અને વિદેશમાં ચાલતો હતો. સુતરાઉ કાપડના સૌદાગરો વિદેહમાંથી આ બહુમૂલ્ય કાપડના
બદલામાં ઈરાની ઘોડા ,કિંમતી મોતી ,ગન્ધક , કસ્તુરી,સૂકોમેવો,, શરાબ ભારતમાં વેચતાંહતાં
( વર્મા હરિશચંદ્ર સંપા મધ્યકાલીન ભારત ભાગ-1 પુ.84) જોકે યુરોપમાંથી સુંદર યુવતીઓની
પણ ભારતમાં આયાત થતી હતી .
ગુજરાત અને ભાતમાં નગિરિપ્રકારણ અને આર્થિક પ્રગતિમાં વણકરો સ્થાપિત શ્રેણી ( આર્થિક સંસ્થા ) નું
મોટું યોગદાન રહ્યું હતું . નહપાન રાજાએ સોમનાથના દર્શને આવતા પહેલા બ્રામ્હણોને ભોજન દાન , ગૌદાન , સુવર્ણ દાન અને ગ્રામ દાન કર્યું હતું એ નહપાનના (ઈ .સ.119-124) સાશન કાળમાં વણકરો ખુબજ સમૃદ્ધ હતા . તેઓએ વણાટકલાના
રક્ષણ અને વિકાસ માટે આર્થિક સંસ્થાની સ્થાપના કરી હતી .
આ નહપાનના જમાઈ ઉષવદાતે સૌરાષ્ટ્ર માં સાર્વજનિક કલ્યાણ ની પ્રવુત્તિઓ કરી હતી. આ પ્રવુત્તિઓમાં વણકરોની "શ્રેણી" નો ફાળો રહ્યો હતો . ઉષવદાને વણકરોની શ્રેણી ઓ પાસે 3000 કાંશા પત્ર પણ જમાકરાવ્યા હતા આ રકમ અકક્ષયનીવીરૂપે ઓળખાતી હતી આ અક્ષયનીવી પર વ્યાજ આપવામાં આવતું હતું .એક વણકર શ્રેણી 2000 ના પ્રતિ 1% વ્યાજ આપતી હતી તો બીજી 1000 કાંશા પત્રના પ્રતિમાસ 3 થી 4 % વ્યાજ આપતી હતી.
દુદા મેઘવાળ ની વાવ
દુદા મેઘવાળ ની વાવ
મેઘવાળ
સમાજનનો ઈતિહાસ, આપણો ઈતિહાસ ગૌરવવંતો
છે જયારે ઝારા નું
યુદ્ધ થયું હતું જેમા
સાતસો મેઘવાળૉ એ સહીદી વોહરી
હતી યાદ છે ને
ઓરસીયૉ મેઘવાળ જેણે રણ
મેદાન માં અલ્લાઉદીન ખીલજી
ના ગઢ મા જઈ
ને એની જ કટાર
વડે અડદી મુછો કાપી
નાખી હતી, પછી એને
કચ્છ ના રા એ
સેનાપતિ બનાવ્યો, આજે ગાંધીધામ રસ્તામાં
આવતું ભદ્રાવતી નગરી હાલ મા
આપણે ભદ્રેશ્વર ના નામથી ઓળખવામાં
આવે છે જે મુન્દ્રા
તાલુકા નો ઐતિહાસિક નગર
છે, આ નગર મા
દુદા
મેઘવાળ
ની વાવ
આવેલી
છે જોઈ ને ગૌરવ
થાય એવી આ વાવ
છે પણ જોઈ ને
દુખ થય કે આપણા
ઈતિહાસ ને આ વ્યવસ્થા
નથી સાચવી સકતી આવા
મહાન પુરુષ દુદા મેઘવાળને દુદીયા હરીજન
કરી નાખ્યું છે, જો બીજા
કોક ની આ વાવ
હોત ને તો સાહિત્યકારો
અને ઈતિહાસકારો એને ક્યાંક લઈ
જાય, મિત્રો આપણ ને
સાહિત્યકારો એ ભદ્રેશ્વરમા શેઠ
જગડુસા દાતાર થઈ ગયા
એતો ઘણી વખત કહેવામાં
આવ્યું અને ઇ સત્ય
પણ છે કે શેઠ
જગડુસા જેવા દાતાર બીજે
ક્યાંય નહીં હોય ભયંકર
દુષ્કાળ મા પોતાના ભં
ડારો ખોલી દિધા ધન્ય
છે આવી દાતારી ને,
પણ એજ કપરા સમય
મા અને એજ ભદ્રાવતી
નગરી મા એક જીવદયા
પ્રેમી અને કરુણાસાગર જેવા દાતાર થઇ ગયા જેનુ નામ દુદા મેઘવાળ હતું,જેના વિશે ઇતિહાસ એમ કહે છે કે દુદા મેઘવાળ સિવ ભક્ત હતા , કચ્છ મા ભયંકર દુષ્કાળ પડ્યો આવા સમયે દુદા મેઘવાળ ને થયું કે હુ જીવ પ્રાણી ને બચાવવા સુ કરુ, દયાડુ જીવ હતા તેઓ હિંમત કરી ને વાવ બનાવવા નુ ચાલુ કરીયુ, જેના ઉપર સિવ મહેરબાન હતા અને એવુ કહેવાય છે કે આ વાવ ને બનાવવા ભુતડાઓ પણ મેઘવાળ ની મદદે આવ્યા,અને
શેઠ જગડુસા એ જેટલા
દોકડા મંદિરમાં ખર્ચ કર્યા હતા
એના કરતાં એક દોકડો
વધારે આ વાવ ને
બનાવવા દુદા મેઘવાળે ખર્ચો
હતાં, અને આ નગર
ને અને વટેમાર્ગુ ને
પીવા માટે પાણી મળ્યુ,
જો આ વાવ આપણે
જોઈએ તો એવુ લાગે
કે આ તે સમયે
આટલા મોટા પથ્થરો થી
કેવી રીતે બનાવી હશે
,ધન્ય છે દુદા મેઘવાળ
ને ,
પણ દુખ ની વાત
ઈ છે કે જાતીવાદી
સમાજમાં દુદા મેઘવાળ જેવા
દાતાર ને કહેવાતા ઈતિહાસકારોએ
અને સાહિત્યકારો એ ક્યાંય પણ
યાદ ના કર્યો, અને
સરકારો એ પણ આવી
ઐતિહાસિક ધરોહર ને બચાવવા
કાંઈ નથી કરતી, રહી
સહી કસર ગાંધીજી ના આપેલ નામે
પુરી કરી રહી છે
,
ભદ્રેશ્વર મા આજે પણ
બોર્ડ પર જોઈ ને
દુખ થાય કે આવી
ખમીરવંતી કચ્છની ધરતી પર
આવા મહાન પુરુષ દુદા
મેઘવાળ થઈ ગયા પણ
જાતીવાદી સમાજે દુદીયા હરીજન કરી
નાખ્યું છે,
મુંદરા તાલુકાના ગામ ભદ્રેશ્વર, કચ્છ ,ગુજરાત.
Science technology
વૈશિષ્ટિકૃત પોસ્ટ
GM
GOOD MORNING ECHO- एक गूंज જીવનમાં ભૂતકાળ આપણને ઘણું શીખવે છે. ભૂતકાળની સફળતા આપણને પ્રેરણા આપે છે અને ભૂલો આપણને સાવચેત રહેવાનું શી...
-
કાંદિવલીમાં હોળીનો તહેવાર: AI અને ટેકનોલોજીના દુરુપયોગ સામે સંદેશ આજના આધુનિક વિશ્વમાં, કૃત્રિમ બુદ્ધિ (AI અને અદ્યતન ટેકનોલોજી માનવ જીવનના...
-
🪔 ધનતેરસ – આરોગ્ય , સમૃદ્ધિ અને સંપત્તિનું પાવન તહેવાર (18 ઓક્ટોબર , 2025) દિવાળી ઉત્સવના પાંચ પવિત્ર દિવસોમાં ધનતેરસ પ્ર...
-
*GOOD Morning* 🔼🔽 *ECHO- एक गूंज* 🌍 આપણે ઘણી વખત હાથે કરીને સંઘર્ષ વહોરતા હોઈએ છીએ . કોઇ જરાક કંઇક બોલે એટલે ઉશ્કેરા...



