ગુજરાતની વણાટ કલામાં માહિર વણકરો ....
શુંગ અને સાતવાહન કાળમાં , ગુજરાત ની વણાટકલા ચરમોત્કષ કક્ષાએ પહોંચી હતી . એવા વસ્ત્રો પણ બનતાં હતાં કે ફૂંક મારવાથી હવામાં ઉડતા હતા.
( રઘુવઁશ 16:43) રેશમના કીડાઓ ઉછેરવાની કલા ઈ.સ. પહેલી સદીમાં વણકરોએ શોધી હતી .
પછીથી રોમમાં તેનો પ્રચાર થયો હતો, પરંતુ સુંદર વસ્ત્રોનું રહસ્ય તો ભરત અને ગુજરાતના વણકરો જ જાણતા હોવાથી આ કલાને રોમ માં પ્રસિદ્ધિ મળી નહી , રોમની સ્ત્રીઓ ગુજરાતના વસ્ત્રો પહેરવા એ પ્રતિષ્ઠા સમજતી હતી.
જોકે સમગ્ર યુરોપ અને મધ્ય એશિયા માં ગુજરાત અને ભારતની વણાટ કલાની
પ્રતિષ્ઠા હતી. હિન્દૂ દેવતાની
મૂર્તિઓ માટે વસ્ત્રો મંદિરોના પુંજારીઓના વસ્ત્રો , રાજાઓ અને રાંજ પરિવારના વસ્ત્રો , સૈનિકોના વસ્ત્રો, ધનવાનોને વસ્ત્રો બનાવવા માટે વિશિષ્ટ કૌશલ્ય અને વસ્ત્રો નિર્માણ અંગેના દર્શન શસ્ત્ર નું જ્ઞાન વણકરો પાસે રહેતું હતું . વર્તમાન સમયમાં
પણ પાટણ ( ગુજરાત) ના પટોળા અને તેના ઉપર ની ભાટ જગવિખ્યાત છે. આર્યવર્ત ની સમૃદ્ધિનો
સૂર્યદય વણાટકલા ( સુતરાઉ વસ્ત્રો ) થકી થયો હતો.
આ સુતરાઉ કાપડનો વ્યાપાર પ્રભાસ
પાટણથી દેશ અને વિદેશમાં ચાલતો હતો. સુતરાઉ કાપડના સૌદાગરો વિદેહમાંથી આ બહુમૂલ્ય કાપડના
બદલામાં ઈરાની ઘોડા ,કિંમતી મોતી ,ગન્ધક , કસ્તુરી,સૂકોમેવો,, શરાબ ભારતમાં વેચતાંહતાં
( વર્મા હરિશચંદ્ર સંપા મધ્યકાલીન ભારત ભાગ-1 પુ.84) જોકે યુરોપમાંથી સુંદર યુવતીઓની
પણ ભારતમાં આયાત થતી હતી .
ગુજરાત અને ભાતમાં નગિરિપ્રકારણ અને આર્થિક પ્રગતિમાં વણકરો સ્થાપિત શ્રેણી ( આર્થિક સંસ્થા ) નું
મોટું યોગદાન રહ્યું હતું . નહપાન રાજાએ સોમનાથના દર્શને આવતા પહેલા બ્રામ્હણોને ભોજન દાન , ગૌદાન , સુવર્ણ દાન અને ગ્રામ દાન કર્યું હતું એ નહપાનના (ઈ .સ.119-124) સાશન કાળમાં વણકરો ખુબજ સમૃદ્ધ હતા . તેઓએ વણાટકલાના
રક્ષણ અને વિકાસ માટે આર્થિક સંસ્થાની સ્થાપના કરી હતી .
આ નહપાનના જમાઈ ઉષવદાતે સૌરાષ્ટ્ર માં સાર્વજનિક કલ્યાણ ની પ્રવુત્તિઓ કરી હતી. આ પ્રવુત્તિઓમાં વણકરોની "શ્રેણી" નો ફાળો રહ્યો હતો . ઉષવદાને વણકરોની શ્રેણી ઓ પાસે 3000 કાંશા પત્ર પણ જમાકરાવ્યા હતા આ રકમ અકક્ષયનીવીરૂપે ઓળખાતી હતી આ અક્ષયનીવી પર વ્યાજ આપવામાં આવતું હતું .એક વણકર શ્રેણી 2000 ના પ્રતિ 1% વ્યાજ આપતી હતી તો બીજી 1000 કાંશા પત્રના પ્રતિમાસ 3 થી 4 % વ્યાજ આપતી હતી.