*ECHO-एक गूंज*
🌍
*GOOD MORNING*
દરેક
પરિસ્થિતિમાં પોતાની જાતને વફાદાર રહેનારા વીરલા બહુ ઓછા હોય છે. આપણા સિદ્ધાંતો, આદર્શો, માન્યતાઓ
ઘણી વખત કડડડભૂસ થઈ ઘૂંટણિયા ટેકવી દેતી હોય છે. ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલની
આ સાવ સાચી વાત છે. રામપ્રસાદને ફાંસી આપવાની હતી. જે દિવસે ફાંસી હતી એની આગલી
રાતે પણ એ સમયસર ઊંઘી ગયા. રોજના ક્રમ મુજબ જ સવારે ઊઠી ગયા. ફ્રેશ થઈ કસરત કરવા
લાગ્યા. જેલરથી રહેવાયું નહીં. જેલરે રામપ્રસાદને કહ્યું કે એક કલાક પછી તો તમને
ફાંસી આપવાની છે અને તમે અત્યારે કસરત કરો છો, તમને
કોઈ ભય નથી લાગતો? રામપ્રસાદે
કહ્યું કે આખી જિંદગી હું મારા નિયમો, સિદ્ધાંતો
અને આદર્શો મુજબ જીવ્યો છું અને હવે જો ડરી કે ડગી જાઉં તો તો મારી જિંદગી લાજે.
જે જ્યારે થવાનું હશે ત્યારે થશે, એના માટે હું જે
કરું છું એ શા માટે છોડી દઉં? ગળામાં ગાળિયો
પહેરાવાયો ત્યાં સુધી એ સ્વસ્થ હતા. આપણે એક નાનકડી વાતે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ.
આપણા નિર્ણયો, નિયમો
અને સિદ્ધાંતો નેવે મૂકી દઈએ છીએ. માણસ પોતાને અનુકૂળ હોય ત્યાં જ સુધી જ આદર્શોને
વળગી રહે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.