7 મે, 2025

GM

 

✍🏻*GOOD MORNING*

*ECHO-एक गूँज*

😇😀😃😄😜😝🎭🎭

હાસ્ય વિશે એવું પણ કહેવાતું આવ્યું છે કે, ઘણી વખત હાસ્ય વેદનામાંથી જ ઉત્પન્ન થાય છે. વેદના પણ દરેકની જિંદગીનો એક હિસ્સો જ છે. મહાન હાસ્ય કલાકાર ચાર્લી ચેપ્લિને કહ્યું છે કે, જિંદગીને નજીકથી જોશો તો એ ટ્રેજેડી છે, દૂરથી જોશો તો એ કોમેડી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, મારું દર્દ તમારા હસવાનું કારણ બની શકે છે, પણ મારું હાસ્ય કદી તમારા દર્દનું કારણ નહીં બને. ચાર્લી ચેપ્લિને એક વાત એવી પણ કરી હતી કે, અચાનક આવી પડતા આઘાત વખતે આપણે આપણી જાત પર હસવા સિવાય કંઇ કરી શકતા નથી. ખરેખર આ વાત સાચી છે? એના વિશે પણ ઘણું બધું કહેવાયું છે. આપણે જ્યારે ખૂબ જ ટેન્શનમાં હોઇએ, ક્યાંય ધ્યાન પડતું ન હોય ત્યારે ઘણી વખત એવું કહીને હળવા થઇએ છીએ કે, ચૂલામાં ગયું બધું, જે થવું હોય તે થાય! માણસ વેદનામાંથી છુટકારો મેળવવા માટે અંતે હાસ્યના સહારે જ જાય છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please do not enter any spam link in the comment box thank you

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.

વૈશિષ્ટિકૃત પોસ્ટ

વિશ્વ પર્યાવરણ દિવસ

  ૫ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે , જે પ્રકૃતિ સાથેના આપણા સંબંધ પર પ્રતિબિંબિત કરવાની યાદ અપાવે છે . પૃ...