*ECHO-एक गूँज*
કોઇ તમારી પાસે રૂપિયા ઉછીના માંગે ત્યારે તમે ના પાડી શકો છો ખરા? મોટા ભાગના લોકો રૂપિયા ઉછીના આપ્યા પછી પસ્તાતા હોય છે. ઉછીના આપેલા રૂપિયા માંગવા જઇએ ત્યારે ઉછીના લેનાર લોકો કોઈ પણ જાતના હિચકિચાટ વગર ના પાડી દે છે કે, હમણાં મેળ પડે એમ નથી, થોડોક સમય જાળવી જાવને! એક વખત લઇ ગયા હોય, પાછા ન આપ્યા હોય અને એ માણસ ફરીથી રૂપિયા માંગે ત્યારે પણ ઘણાં લોકો ના પાડી શકતા નથી! ના ન પાડી શકતા લોકો જુદી જુદી રીતે પોતાનો બચાવ પણ કરતા હોય છે. એવું કહે છે કે, એને બિચારાને જરૂર હશે! એટલા રૂપિયામાં આપણે ક્યાં ગરીબ થઇ જવાના છીએ! આ અને આવી દલીલો કરે છે, એ એવું કબૂલતા નથી કે મારાથી ના પાડી શકાતી નથી. ના પાડવી એ એક આર્ટ છે. ઘણા લોકોને એ કલા હસ્તગત હોય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please do not enter any spam link in the comment box thank you
નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.